Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Sunday, 2 January 2022

કોરોના રસી લીધા પછી બાળકોને આ સમસ્યાઓ થાય તો ગભરાશો નહીં, ડૉક્ટરની સલાહ લો

 


રસીકરણ પછી તાવ આવવો,  રસી જે હાથ પર લગાવવામાં આવી હોય તે હાથ પર સોજો આવવો સામાન્ય વાત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં જ ઉતરી જાય છે. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.


15 થી 18 વર્ષની વયના બાળકો માટે 3 જાન્યુઆરીથી દેશભરમાં બાળકોનું રસીકરણ (Children vaccination) શરૂ થશે. રસીકરણ માટે બાળકોની નોંધણી (Registration) પણ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની રસી (Vaccine) બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આવી સ્થિતિમાં તમામ બાળકોને રસી આપવી જ જોઇએ. જો રસી લીધા પછી બાળકને તાવ કે શરીરમાં દુખાવો થતો હોય તો તેના માટે ગભરાવાની જરૂર નથી.

લેન્સેટ કમિશન ફોર કોવિડ ટાસ્ક ફોર્સ ઈન ઈન્ડિયાના સભ્ય પ્રોફેસર ડૉ. સુનિલા ગર્ગ કહે છે કે બાળકોને રસી વિશે કોઈ ખચકાટ ન હોવો જોઈએ. આ માટે જરૂરી છે કે, વાલીઓ તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરે. જો બાળક રસીથી ડરતું હોય તો તેને સમજાવો. બાળકને રસી આપતા પહેલા, ધ્યાનમાં રાખો કે તેણે યોગ્ય રીતે ભોજન લીધું છે. ખાલી પેટે રસી લેવાનું ટાળવું જોઈએ. એ પણ ખાતરી કરો કે બાળકે આખી રાત સારી નિંદર કરી છે. ઉપરાંત, તેને ભારે તાવ કે ઉલટી-ઝાડા ન હોવા જોઈએ.

ડો.ગર્ગના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને બાળકોનું રસીકરણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રસી આપવી જ જોઇએ. જે બાળકો પહેલેથી જ કોઈપણ રોગથી પીડિત હોય તો તેમને પ્રાથમિકતાના આધારે રસી આપવી જોઈએ.

રસીકરણ પછી થતી આ સામાન્ય સમસ્યાઓ

બાળરોગના વરિષ્ઠ  નિષ્ણાંત ડો.પ્રદીપ કુમાર કહે છે કે, રસીકરણ પછી તાવ આવવો,  રસી જે હાથ પર લગાવવામાં આવી હોય તે હાથ પર સોજો આવવો સામાન્ય વાત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં જ ઉતરી જાય છે. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આ બધા લક્ષણો રસીકરણ પછી સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે.

જો કે,બાળકોમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે. તાવ ખૂબ જ વધી રહ્યો છે જે સતત બની રહે છે. અથવા જો ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછા અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે

ડોક્ટર્સની સલાહ  છે કે રસી લીધા પછી પણ બાળકોને કોવિડથી રક્ષણના નિયમોનું પાલન કરવું પડશે. બાળકોએ સમજવું પડશે કે રસી લગાવવાથી સંક્રમણનું જોખમ જરૂરથી ઓછું થઈ ગયું છે, પરંતુ એવું નથી કે તેનાથી તેમને ક્યારેય કોરોના થશે નહીં.

વધુ વિગતો માટે:  અહીં ક્લિક કરો

Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads