Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday 31 December 2021

બીજી લહેરના ભયાનક દ્રશ્યોથી લઈને રસીકરણ મુદ્દે રાજકોટની આ ઘટનાઓએ ખેચ્યું સમગ્ર ગુજરાતનું ધ્યાન

 


સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં પણ બીજી લહેરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું.


દેશ કોરોના મહામારીના કહેરમાંથી (Corona Pandemic) હજુ ધીમે-ધીમે ઉગરી રહ્યો છે, ત્યારે ઓમીક્રોન વેરીઅન્ટ (Omicron) આવવાથી ફરી એક વાર કોરોનાની ત્રીજી લહેરના (Third Wave of Corona) એંધાણ મંડાણા છે. વર્ષ પુરુ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં ભયની લાગણી છે. તેમ છતા કોરોના સામે લડવા માટે આપણી પાસે વેક્સીનેશનનું હથીયાર છે એ રાહતની વાત છે.

આ વર્ષ દરમિયાન પણ કોરોનાએ કહેર વરસાવ્યો હતો. બીજી લહેરમાં સર્જાયેલા ભયંકર દ્રશ્યોથી સમગ્ર દેશ સ્તબ્ધ હતો. ગુજરાતમાં પણ ઠેર – ઠેર હોસ્પીટલના બેડની અને ઓકસિજનની અછત જોવા મળી હતી. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં (Rajkot City) પણ બીજી લહેરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું.

બીજી લહેરની તારાજી પછી વહીવટી તંત્રએ ભવિષ્યને લઈને જે તૈયારીઓ કરી એ પણ સરાહનીય હતી જેમ કે, વેક્સીનેશન માટે જાગૃતિ અભીયાન હોય કે ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે મુવેબલ હોસ્પીટલ હોય. આ દરેક વસ્તુઓએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં લાગી હતી સ્મશાનોમાં લાઈનો… હોસ્પીટલમાં બેડની અછત

કોરોનાની બીજી લહેરમાં પરીસ્થીતી બેકાબુ બની હતી. હોસ્પીટલોમાં બેડની અછત જોવા મળી હતી. તેમજ સ્મશાનમાં એક ભઠ્ઠી ખાલી રહેતી ન હતી. કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં પણ પહોચી ગયું હતું. વેન્ટીલેટર અને બાઈપેપની પણ તંગી જોવા મળી હતી. તબીબોએ પણ આ તંગીને પહોચી વળવા ખાસ નુસખાઓ અજમાવ્યા હતા.  ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બેનઝ સર્કિટનો ઉપયોગ કરી દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

રેમડેસિવિરની કાળાબજારીનું રેકેટ પકડાયું

રેમડેસિવિર ઈન્જેક્શન ત્યારે સંજીવની સમાન હતું. ગંભીર પરિસ્થીતીમાં આ ઈન્જેક્શનની ખૂબ જરૂર રહેતી ત્યારે રાજકોટમાં કોરોનાકાળ દરમિયાન ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ઝડપાયા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી.


આ આરોપીઓ આ ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આરોપીઓ 4,800 રૂપિયાનું ઈન્જેક્શન 10 હજાર રૂપિયામાં વેચતા હતા. આ અંગેની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.


રસીકરણને લઈને પ્રવર્તી અંધશ્રદ્ધા તંત્ર માટે બન્યો મોટો પડકાર

ગામડાઓમાં તેમજ શહેરના કેટલાંક વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને અફવાના કારણે ઘણા લોકો વૅક્સીન લેવાનો ઈન્કાર કરી રહ્યા હતા, તેમજ આરોગ્ય ટીમ સાથે ગેરવર્તનની ફરીયાદો પણ ઉઠી હતી. ત્યારે રાજ્યના તત્કાલીન આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અફવા અને અંધશ્રદ્ધા ફેલાવનારાઓને કડક ચેતવણી આપી દીધી હતી.


નીતિન પટેલે કહ્યું હતું કે, કોઈ વૅક્સીન ન લેશો તેવો અપપ્રચાર કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં પણ ક્યાંકને ક્યાંક જાગૃતિનો અભાવ જોવા મળતો હતો. ત્યારે રાજકોટ તંત્ર દ્વારા આરોગ્ય ટીમ સાથે એક અલગ ટીમ મોકલવાની શરૂઆત કરવામાં આવી અને તે ટીમે લોકોને અંધશ્રદ્ધા દુર કરવામાં મદદ કરી અને લોકોને રસી લેવા માટે જાગૃત કર્યા.


ડોર ટૂ ડોર વેક્સીનેશન અભીયાન

રાજકોટ મહાનગરપાલિકાએ ડૉર ટુ ડૉર કોરોના રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં વરિષ્ઠ નાગરિક, સગર્ભા, દિવ્યાંગોને ઘરે જઈને રસીનો લાભ આપવા માટે આરોગ્ય વિભાગની 24 ટીમ કાર્યરત કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વ્યકિત વેક્સીન લેવા માંગે છે તેણે મનપાના કોલ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતુ. જેની બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવીને રસી આપતા હતા. તેમજ વૃદ્ધો, સગર્ભા કે દિવ્યાંગને સરળતાથી ઘરે રસી મળી શકી અને જોખમને ટાળી શક્યા.

આગમ ચેતી રૂપે તૈયાર કરાઈ ભારતની પ્રથમ મુવેબલ હોસ્પીટલ

એક નવીન ટેક્નોલોજીસાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયાર કરવામાં આવી છે. ગણતરીની મિનિટોમાં જ આઇ.સી.યુ.માં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી આબેહૂબ વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી ટેક્નોલોજીયુક્ત વ્યવસ્થા તૈયાર છે. ઇન્ડો અમેરિકન ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ રહી છે તેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતું.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

કોરોનાની આ વાતને લઈને ગ્રામજનોએ કરાવ્યુ મુંડન, જાણો ક્યાં થયો ‘સામૂહિક મુંડન કાર્યક્રમ’

 


જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે મુંડન કરવામાં આવે છે. પરંતુ ગામમાં કોરોનાની આ ખાસ વાતને લઈને મુંડન કરાવવામાં આવ્યું હતું

કોરોના (Corona) ને લઈને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.  ગામના 100 જેટલા લોકોએ સામૂહિક મુંડન  કરાવ્યું હતું (Samuhik Mundan). ઢોલ-નગારા સાથે સમગ્ર પ્રસંગની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મધ્ય પ્રદેશ (Madhya Pradesh ) ના નીમચ જિલ્લાના મનસા તાલુકાના ગામના દેવનારાયણ મંદિરે (Devnarayan Temple) થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ગામના તમામ મંદિરોમાં પહોંચી હતી જેમાં ગ્રામજનોએ તમામ મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરી હતી.

શોભાયાત્રામાં ગ્રામજનો ઢોલના તાલે નાચતા-ગાતા જોવા મળ્યા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. આ તમામ વસ્તુ કરવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે કે કોરોનાની આ બાબતને લઈને આ ગામમાં સામૂહિક મુંડન કરવામાં આવ્યું છે.

ગ્રામજનોએ ભગવાનની પાસે એવી માનતા રાખી હતી કે જો ગામમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ નહીં થાય તો ગ્રામજનો મુંડન કરાવશે.  અહીં કોરોના કાળમાં ગામમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી, આ ખુશીમાં ગ્રામજનોએ સામૂહિક મુંડનનું આયોજન કર્યું. સમગ્ર આયોજનની ખાસ વાત એ હતી કે તેમાં કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ જ્ઞાતિ વર્ગના લોકોએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે, જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે મુંડન કરવામાં આવે છે. પરંતુ ગામમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ ન થયું હોવાની ખુશીમાં ગ્રામજનોએ મુંડન કરાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના અંતે દરેક માટે સામૂહિક ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષના છેલ્લા દિવસે કરાવ્યુ મુંડન
ગ્રામજનોએ કોરોનાના સમયગાળા દરમિયાન ગામના દેવનારાયણ મંદિરમાં ભગવાનની માનતા માની હતી કે જો આખા વર્ષમાં ગામનો કોઈ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ  નહીં પામે તો ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ પોતાનું મુંડન કરાવશે. આ વર્ષે કોરોનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ ખુશીમાં વર્ષના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે સૌએ સામૂહિક રીતે મુંડન કરાવ્યું હતું. આ સામૂહિક મુંડન કાર્યક્રમમાં 15 વર્ષના કિશોરોથી માંડીને 70 વર્ષના વૃદ્ધો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. બધાએ ખુશીથી પોતાનું મુંડન કરાવ્યું અને ભગવાન દેવનારાયણ મંદિરમાં જઈને તેમના આશીર્વાદ લીધા અને તેમનો આભાર માન્યો.

કોરોનાના કેસો વધી રહ્યા છે
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 16,764 દર્દીઓ મળી આવ્યા હતા, ત્યારબાદ કુલ કેસોની સંખ્યા વધીને 34,838,804 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 220 દર્દીઓના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 481,080 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 7,585 લોકો સાજા થયા છે. સમગ્ર દેશમાં સક્રિય કેસની સંખ્યા 91,361 છે

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો



Share:

પેટ, સાંધા અને આ રોગનો અકસીર ઇલાજ એટલે મુલતાની માટી, જાણો અનેક ફાયદા

 


મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી બ્યુટી પ્રોડક્ટ તરીકે કરવામાં આવે છે. મુલતાની માટીનો ઉપયોગ ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરવાથી લઈને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણી રીતે કરવામાં આવે છે. મુલતાની માટીમાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ જેવા તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે.

મુલતાની માટી તમારી ત્વચાના છિદ્રોમાંથી સીબુમ, પરસેવો, તેલ અને ગંદકી જેવી અશુદ્ધિઓને દૂર કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુલતાની માટીનો ઉપયોગ માત્ર સ્કિન કેર માટે જ નથી થતો, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને મુલતાની માટીના એવા સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે!

  • પેટની બળતરા ઘટાડે છે

જો તમને પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા હોય અથવા અલ્સરની સમસ્યા હોય તો મુલતાની માટીને લગભગ 3 થી 4 કલાક પાણીમાં પલાળી રાખો.

જે બાદઆ માટીની પટ્ટી બનાવીને પેટ પર રાખો. લગભગ 15 મિનિટ બાદ ઠંડા પાણીથી પેટ સાફ કરો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમે ખૂબ જ આરામદાયક અનુભવશો.

  • સાંધા અથવા સ્નાયુમાં દુઃખાવો

જો તમને સાંધા કે માંસપેશીઓના દુઃખાવાની સમસ્યા હોય તો મુલતાની માટી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

તમે દુઃખાવાની જગ્યા પર મુલતાનીમાટી લગાવી શકો છો, તેનાથી ઘણી રાહત મળશે. તે સોજો, જકડાઈ, સાંધા કે સ્નાયુઓમાં દુઃખાવો વગેરેની સમસ્યામાં ઘણી રાહત આપે છે.

આ માટે ગરમ પાણીથીમાટીની પેસ્ટ બનાવો. જે બાદ તેને અસરગ્રસ્ત વિસ્તાર પર ગરમ લેપ લગાવો જ્યાં દુઃખાવો હોય, પછી પાટો બાંધો. 15 મિનિટ બાદ ગરમ પાણીમાં ટુવાલ નાખીને આમાટીને સાફ કરો.

જે બાદ તે જગ્યાને કપડા વગેરે બાંધીને થોડી વાર ઢાંકી દો, જેથી પવન ન ફૂંકાય. થોડા દિવસો સુધી સતત આમ કરવાથી ઘણી રાહત મળશે.

  • રક્ત પરિભ્રમણ સુધારવા માટે

તમને જાણીને નવાઈ લાગશે કે, મુલતાની માટી લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે. આ માટે મુલતાની માટીમાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેનેશરીરના કોઈપણ ભાગ પર લગાવો.

જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તેને ભીના ટુવાલથી લૂછી લો. આમ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તમે દરરોજ પણ આઉપાય અજમાવી શકો છો.

  • એન્ટિસેપ્ટિક ગુણોથી સમૃદ્ધ

મુલતાની માટીમાં ઉત્તમ એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, તેથી તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ થાય છે. તે ત્વચા પર બર્ન અને કટ એરિયામાંથી સંક્રમણ દૂર કરવાનુંકામ કરે છે.

આ સાથે જ તેને રોજ લગાવવાથી દાઝી જવાના કે કટના નિશાન પણ ગાયબ થઈ જાય છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

આ લક્ષણો પરથી જાણો તમારી કિડની ખરાબ છે કે નહીં? અવગણો તો પડશે મોંધુ

 


આપણી કિડની શરીરમાંથી કચરાના ઉત્પાદનોને ફિલ્ટર કરવા માટે જવાબદાર છે. જ્યારે કિડનીને શારીરિક ઈજા અથવા હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવી પરિસ્થિતિઓને કારણે નુકસાન થાય છે, ત્યારે કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને ફિલ્ટર કરી શકતી નથી, જેના કારણે શરીરમાં ઝેરનું નિર્માણ થાય છે.

કિડની ફેલ્યોરનાં લક્ષણો એટલાં સૂક્ષ્મ હોય છે કે, શરૂઆતનાં વર્ષોમાં તેના પર ઘણી વાર ધ્યાન આપવામાં આવતું નથી. તેથી જ તેને 'સાઇલન્ટ કિલર' પણ કહેવામાં આવે છે. અહીં અમે તમને ટોક્સિક કિડનીના કેટલાક સામાન્ય લક્ષણો જણાવી રહ્યા છીએ.

  • પગ અને પગની ઘૂંટીઓમાં સોજો

પેટના નીચેના ભાગમાં બીન આકારના બે અંગો શરીરમાંથી કચરો અને વધારાનું સોડિયમ ફિલ્ટર કરવામાં મદદ કરે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરીદે છે, ત્યારે શરીરમાં સોડિયમ જમા થવા લાગે છે.

આ આખરે પગની ઘૂંટીઓ અને શિન્સના સોજા તરફ દોરી જાય છે. આ સ્થિતિને એડીમા કહેવામાં આવે છે. આંખો અનેચહેરા જેવા શરીરના અન્ય ભાગોમાં પણ સોજો જોવા મળે છે, પરંતુ તે મુખ્યત્વે હાથ, હાથ, પગ, પગની ઘૂંટીઓ અને પગને અસર કરે છે.

  • થાક અથવા નબળાઇ

હંમેશા થાક અથવા નબળાઈ અનુભવવી એ સામાન્ય રીતે કિડનીની સમસ્યાની શરૂઆતની નિશાની છે. જેમ જેમ કિડનીનો રોગ ગંભીર બનતો જાય છે, તેમ તેમ વ્યક્તિવધુ ને વધુ નબળાઈ અને થાક અનુભવવા લાગે છે.

ઘરના કેટલાક સાદા કામ કરવા અથવા થોડું ચાલવું પણ વ્યક્તિ માટે બોજારૂપ લાગે છે. કિડનીની અક્ષમતાનેકારણે, ઝેરી પદાર્થો લોહીમાં જમા થવા લાગે છે.

  • ભૂખનો અભાવ

શરીરમાં ઝેર અને અપશિષ્ટથી ભૂખ પણ ઓછી થઈ શકે છે, જે આખરે વજનમાં ઘટાડો તરફ દોરી જાય છે. ઓછી ભૂખનું બીજું કારણ વહેલી સવારે ઊબકા અને ઉલટીથઈ શકે છે.

આ અપ્રિય લાગણીઓ તમને ખોરાકની થોડી તૃષ્ણા છોડી શકે છે. વ્યક્તિ હંમેશા પેટ ભરેલું અનુભવી શકે છે અને તેને કંઈપણ ખાવાનું મન થતું નથી. આએક ભયજનક સંકેત હોય શકે છે.

  • અતિશય પેશાબ લાગવો

સામાન્ય સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 6-10 વખત પેશાબ કરે છે. આનાથી વધુ પેશાબ કિડની ફેલ્યોરનો સંકેત હોય શકે છે. કિડનીની સમસ્યાઓના કિસ્સામાં વ્યક્તિ ખૂબ જઓછી અથવા ઘણી વાર પેશાબ કરી શકે છે. બંને સ્થિતિઓ કિડનીને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

કેટલાક લોકોના પેશાબમાં લોહી અથવા વધુ પડતી માત્રામાં લોહીપણ હોય છે. આવું થાય છે કારણ કે, ક્ષતિગ્રસ્ત કિડની રક્ત કોશિકાઓ પેશાબમાં બહાર નીકળી જાય છે.

  • શુષ્ક અને ખંજવાળ વાળી ત્વચા

શુષ્ક અને ખંજવાળવાળી ત્વચા સાથે કિડનીને નુકસાન થવાના અન્ય લક્ષણો કિડની ડિસઓર્ડરની નિશાની હોય શકે છે. આવું ત્યારે થઈ શકે છે, જ્યારે કિડની શરીરમાંથીઝેર દૂર કરવામાં સક્ષમ ન હોય અને તે લોહીમાં જમા થવા લાગે, જેના કારણે ત્વચામાં ખંજવાળ, શુષ્કતા અને દુર્ગંધ આવે છે. કિડનીની સમસ્યાથી હાડકાના રોગ પણથઈ શકે છે.

  • ચેકઅપ જરૂરથી કરાવો

પ્રારંભિક તબક્કામાં પગલાં લેવાથી કિડની ડિસઓર્ડર ટાળી શકાય છે, જો સમયસર લક્ષણોનું નિદાન થાય તો જ તે શક્ય બની શકે છે.

હાઈ બ્લડ પ્રેશર, સુગર અનેકોલેસ્ટ્રોલ લેવલથી પીડાતા લોકોને કિડનીની વિકૃતિઓ થવાનું જોખમ વધારે હોય છે. આ લોકોએ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને અન્ય અવયવોકેવી રીતે કામ કરી રહ્યા છે.

તે જાણવા માટે વાર્ષિક આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. તબીબી તપાસ પ્રારંભિક તબક્કે સમસ્યાઓ શોધવામાં અને વહેલા સારવાર શરૂકરવામાં મદદ કરે છે.

* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

શિયાળામાં આમળાનું સેવન કરવાથી આટલા રોગોમાંથી મળે છે છુટકારો

 


તમને હેલ્થી રાખવા માટે જેટલી વસ્તુ ની જરૂર છે તે બધી જ વસ્તુઓ ને આમળા ની અંદર આપવા માં આવે છે. અને આમળા ના જ્યુસ ની અંદર જેટલું વિટામિન સી હોઈ છે તેટલું બીજા એક પણ ફ્રૂટ ની અંદર નથી હોતું. અને તે તમારી ઇમ્યુનીટી અને મેટાબોલિઝ્મ ને બુસ્ટ કરે છે.

અને તે વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને લાગવા થી પણ બચાવે છે. શું તમને આમળા જ્યુસ ના સ્વાસ્થ્ય લાભો ખબર છે? આમળા ના જ્યુસ ની અંદર આયર્ન, વિટામિન બી સંકુલ, કેરોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ ની અંદર હોઇ છે. અને તેની અંદર જે મિનરલસ અને વિટામિન્સ હોઈ છે તે માત્ર આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે જ સારા નથી, પરંતુ તે આપણ જે ઘણા બધા રોગો થઇ છે તે થતા પણ અટકાવે છે.

આમળા ની અંદર જે ક્રોમિયમ કન્ટેન્ટ હોઈ છે તે ડાયાબિટીસ ની અંદર પણ મદદ કરે છે. અને ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ પીવા થી પણ આપણા શરીર ને ગરમી ની અંદર રાહત રહે છે. પરંતુ તેને નાની માત્રા ની અંદર બનાવવા જોઈએ. અને આમળા ફ્રેશ હોઈ ત્યારે જ ખાઈ લેવા જોઈએ.

કેમ કે તેને સ્ટોરેજ માં રાખવા માં આવે તો તેની અંદર ઓક્સિડેશન થઇ શકે છે. અને આમળા જ્યુસ વજન ઉતારવા માટે પણ મદદ કરી શકે છે. અને આમળા જ્યુસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર થોડુંક ક્રેશડ પેપર નાખવું જોઈએ, એક નાની મધ ની ચમચી, જીંજર ની થોડીક સ્લાઈસ, અને થોડું મીઠું આમળા જ્યુસ ની અંદર મિક્સ કરવા થી તે વધ સ્વાદિષ્ટ બની જાય છે. ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ શા માટે પીવો જોઈએ તેના વિષે વધુ આગળ જાણો.

ગેસની સમસ્યા – આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે.આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટૉક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

  • શરદી તાવમાં રાહત – આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી
  • વાળ માટે લાભકારી – આમળાના જ્યુસનુ રોજ સેવન તમારા વાળ માટે વારદાન છે. આ વાળને ઝડપથી વધારવા સાથે જ તેમને મજબૂત અને કાળા બનાવી રાખે છે.
  • ડાયાબિટીસને કંટ્રોલ કરવુ – આમળામાં ગૈલિક એસિડ, ગૈલોટેનિન, અલૈજિક એસિડ અને કોરિલૈગિન જોવા મળે છે જે બ્લડ ગ્લુકોઝ લેવલને ઘટાડે છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેથી સવારે આમળાનુ જ્યુસ પીવાનુ ન ભૂલશો.
  • મોઢાના છાલાથી બચાવ – આમળાનુ જ્યુસ તમને મોઢામાં થનારા અલ્સર ચાંદાથી બચાવવામાં મદદ કરે છે.
  • ત્વચા ચમકાવો – આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂપ છે.
  • કેંસરથી રોકથામ – આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (immunomodulatory )ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે.
  • કોલેસ્ટ્રોલ કંટ્રોલ – હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ આમળાનું જ્યુસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
  • પરસ્પર સંબંધો સુધારે – તેમા વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે કારણે સેક્સ દરમિયાન ક્ષમતાને પણ વધારવામાં મદદ કરે છે. જેનાથી સેક્સ લાઈફ વધુ સારી થઈ જાય છે.
* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

‘ઉધરસ-ગળામાં દુખાવો અને તાવના કેસમાં કરાવો કોરોના ટેસ્ટ, કેન્દ્રએ રાજ્યોને આપી સૂચના

 


કેન્દ્રએ કહ્યું છે કે જેમને ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ છે તેમને કોરોના શંકાસ્પદ માનવામાં આવે છે અને કોરોના માટે ટેસ્ટ કરાવવો જોઈએ.


ઓમિક્રોન (Omicron)ના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government)રાજ્યોને નવા આદેશ જારી કર્યા છે. કેન્દ્રએ કહ્યું છે કે જેમને ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ છે તેમને કોરોના શંકાસ્પદ દર્દી (Suspicious patient)માનવામાં આવે છે અને કોરોના માટે ટેસ્ટ (corona Test) કરાવવો જોઈએ. કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે ઉધરસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, સ્વાદ ગુમાવવો, થાક અને તાવ સાથે અથવા તેના વગર ઝાડા થઇ જવા જેવા લક્ષણ કોઈપણ વ્યક્તિમાં મળે તો તેને કોવિડ-19નો શંકાસ્પદ કેસ માનવામાં આવે છે, જ્યાં સુધી કે તેમના ટેસ્ટ બાદ તે નેગેટિવ હોવાનું સાબીત થાય.

પત્ર લખી રાજ્યોને સૂચના આપી

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. વિવિધ સ્થળોએ રાઉન્ડ-ધ-ક્લોક કાર્યરત RAT બૂથ સ્થાપવા, તબીબી અને પેરામેડિકલ સ્ટાફને સામેલ કરવા અને હોમ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવા માટેની પત્રમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ઓમિક્રોનના કેસ નિયંત્રણની બહાર

કેન્દ્ર સરકારે રાજ્યોને આ નિર્દેશ એવા સમયે આપ્યા છે જ્યારે દેશમાં ઓમિક્રોનના મામલા નિયંત્રણની બહાર થઈ રહ્યા છે. દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 1200થી વધુ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસ છે. કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસ નોંધાયા છે, જે પછી રાજ્યમાં કોરોનાના નવા પ્રકારોની કુલ સંખ્યા 107 પર પહોંચી ગઈ છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે માહિતી આપી હતી.

* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો



Share:

શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓમાં ચિંતા વ્યાપી, કુલ 21 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

 


શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. મંજૂરી વિના જ પૂર્વ પ્રાથમિક શાળાઓ બેરોકટોક ચાલી રહી હોવાની સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.


અમદાવાદ શહેરની શાળાઓમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે એક દિવસમાં જ 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળામાં કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે. ડીઇઓએ તમામ શાળાઓને તકેદારી રાખવા સૂચના આપી છે. તો બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતા શાળાઓમાં ઓફલાઇન વર્ગો બંધ કરવા વાલીઓએ માંગ કરી છે.

ડીઇઓએ શાળાઓને કડક સૂચના આપી

અમદાવાદ શહેરમાં શાળાઓમાં કોરોનાનું જોખમ ઉભું થયું છે. શાળાઓમાં કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે. ડીઈઓએ ગાઈડલાઈન અને સરકારના નિર્દેશોનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. શાળાઓએ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની ડીઈઓને ફરજિયાત જાણ કરવી પડશે. જાણ નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી થશે. અત્યાર સુધી શહેરમાં 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે

અમદાવાદમાં શાળાઓમાં આવેલ કેસ

  • નિરમા સ્કૂલ- 4 કેસ
  • નવકાર સ્કૂલ-1 કેસ
  • ઉદગમ સ્કૂલ-4 કેસ
  • ઝેબર સ્કૂલ-1 કેસ
  • ટર્ફ સ્કૂલ-1 કેસ
  • સી એન વિદ્યાલય- 1 કેસ
  • સંત કબીર સ્કૂલ-2 કેસ
  • ઝેબર સ્કૂલ-1 કેસ
  • સત્વ વિકાસ સ્કૂલ-1 કેસ
  • મહારાજા અગ્રેસન-3 કેસ
  • ડીપીએસ સ્કૂલ -1 કેસ
  • એચ બી કાપડિયા-1 કેસ

વાલીમંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. મંજૂરી વિના જ પૂર્વ પ્રાથમિક શાળાઓ બેરોકટોક ચાલી રહી હોવાની સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેમાં જુ.કેજી-સી.કેજીમાં દોઢથી પાંચ વર્ષના બાળકોને સાડા ત્રણ કલાક એકત્ર કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે. 90 ટકા વિદ્યાર્થીઓ શાળામાં પ્રત્યક્ષ અભ્યાસ કરવા આવે છે. ત્યારે સરકાર એક અઠવાડિયું શાળાઓનું મોનીટરીંગ કરી પગલાં લેવા રજુઆત કરી છે. જેમાં કેસો વધે તો 10 જાન્યુઆરીથી ધોરણ 1થી 5ના વર્ગો બંધ કરવા કરી રજુઆત કરી છે. મોનીટરીંગ કર્યા બાદ કેસો વધે તો ધોરણ 6થી 8ની શાળાઓ બંધ કરવા રજુઆત કરાઈ છે. અને ત્રણ તબક્કામાં મોનીટરીંગ બાદ કેસો વધે તો 9થી 11ની શાળાઓ પણ બંધ કરવા કરી રજુઆત કરી છે.

કોરોના અને ઑમિક્રૉનના કેસો વધતા વાલીઓની ચિંતા વધી છે. સંક્રમણ વધતા ઓફલાઇન વર્ગો બંધ કરવા વાલીઓએ માંગ કરી છે. તકેદારીના ભાગરૂપે ધોરણ 1થી 8ના વર્ગો ઓનલાઇન જ શરૂ રાખવા માંગ કરી છે. સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તેવી વાલીઓની રજુઆત છે.

* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, નવા 654 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 2962 થયા, ઓમિક્રોનના નવા 16 કેસ

 


આજે રાજ્યમાં સૌથી વધુ 311 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.


નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 2371 હતા, જે આજે વધીને 2962 થયા છે.

 ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 30 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 573 કેસો નોંધાયા હતા, તો આજે 654 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 2962 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 97, વડોદરા શહેરમાં 38 કેસ,આણંદમાં 21 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, મૃત્યુઅંક 10,118 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે છઠ્ઠા દિવસે 31 ડિસેમ્બરે 654 નોંધાયા છે. એટલે કે માત્ર 5 દિવસમાં 6 ગણા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 2371 હતા, જે આજે વધીને 2962 થયા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 63 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 652 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 16 નવા કેસ
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 16 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 2 પુરુષ અને 4 સ્ત્રી એમ 6 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી તમામ 6 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) સુરત શહેરમાં 2 પુરુષ અને 1 સ્ત્રી એમ 3 ઓમિક્રોન કેસ નોંધાયા છે, આ ત્રણેય કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) આણંદમાં 1 પુરુષ અને 2 સ્ત્રી એમ 3 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય દર્દી વિદેશથી આવ્યાં છે.

4) અમરેલીમાં વિદેશથી આવેલી એક મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

5) બનાસકાંઠામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

6) ભરૂચમાં વિદેશથી આવેલી એક મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

7)જુનાગઢ શહેરમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 16 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 113 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 54 દર્દીઓ રીકવર થયા છે.


* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો



Share:

સરકારે SBIને ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની આપી મંજૂરી, વાંચો તેમના વિશે ખાસ વાતો

 


સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 1 જાન્યુઆરી, 2022થી ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની મંજૂરી આપી છે. ઈલેક્ટોરલ બોન્ડ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવશે.

સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 1 જાન્યુઆરી, 2022થી ઈલેક્ટોરલ બોન્ડ (કોઈ રાજકીય પક્ષને આપવામાં આવતું દાન) જાહેર કરવાની મંજૂરી આપી છે. આ ઈલેક્ટોરલ બોન્ડ  1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવશે. સરકારે તેના નિવેદનમાં કહ્યું કે SBIને તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.

ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ થયાની તારીખથી 15  દિવસો માટે માન્ય રહેશે. અને જો ઈલેક્ટોરલ બોન્ડ નિયત અવધિ પછી જમા કરવામાં આવશે તો કોઈપણ રાજકીય પક્ષને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં. કોઈ યોગ્ય રાજકીય પક્ષ દ્વારા તેના ખાતામાં ઈલેક્ટોરલ બોન્ડ જમા કરાવવા પર તે જ દીવસે ક્રેડીટ કરવામાં આવશે.

એક નિવેદનમાં, સરકારે કહ્યું કે ભારત સરકારે 2 જાન્યુઆરી, 2018 ના તારીખવાળા ગેઝેટ નોટિફિકેશન દ્વારા ઈલેક્ટોરલ બોન્ડને નોટીફાઈ કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યોજનાની જોગવાઈઓ અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડ એવી વ્યક્તિ કે સંસ્થા ખરીદી શકે છે જે ભારતનો નાગરિક હોય. અથવા ભારતમાં કંપનીની સ્થાપના કરવામાં આવી છે. એક વ્યક્તિ ઈલેક્ટોરલ બોન્ડને એકલા અથવા સંયુક્ત રીતે બીજા લોકો સાથે ખરીદી શકે છે.

ઈલેક્ટોરલ બોન્ડ શું છે?

ઈલેક્ટોરલ બોન્ડ એટલે એક એવો બોન્ડ જેના પર એક કરન્સી નોટની જેમ તેની વેલ્યું અથવા મુલ્ય લખેલું હોય છે. આ બોન્ડનો ઉપયોગ વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંસ્થાઓ વતી રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકે છે. પ્રથમ તબક્કામાં ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 1 થી 10 માર્ચ 2018 દરમિયાન થયું હતું.

ઈલેક્ટોરલ બોન્ડની ખાસ વાતો

  1. આ બોન્ડ દેશભરમાં SBIની પસંદગી પામેલી શાખાઓમાં ઉપલબ્ધ હશે.
  2. ઈલેક્ટોરલ બોન્ડ ફક્ત તે જ ખરીદી શકે છે જેમના ખાતામાં KYC વેરિફાઈડ હોય.
  3. ફાળો આપનારાઓએ આ બોન્ડ તેમની પસંદગીના પક્ષને બોન્ડની ખરીદીની તારીખથી 15 દિવસની અંદર આપવાના રહેશે.
  4. રાજકીય પક્ષ આ બોન્ડને બેંકમાં વેરિફાઈડ એકાઉન્ટ દ્વારા રોકડ કરશે.
  5. બોન્ડ પર દાતાનું નામ નહીં હોય અને તેની વિગતો ફક્ત બેંક પાસે જ રહેશે.
  6. બેંક આ બોન્ડ્સ પર કોઈ વ્યાજ ચૂકવતી નથી.
  7. કેન્દ્ર સરકારની સૂચનાઓ અનુસાર દરેક ક્વાર્ટરની શરૂઆતમાં 10 દિવસ સુધી બોન્ડ ખરીદી શકાય છે.
  8. ઈલેક્ટોરલ બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરના પહેલા 10 દિવસોમાં ખરીદી શકાય છે.

* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
Share:

આ વસ્તુઓ પર નથી લાગતો GST, વાંચો પુરુ લીસ્ટ

 


કેટલીક વસ્તુઓને જીએસટીના દાયરામાં રાખવામાં આવી નથી. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.


દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની (Finance Minister Nirmala Sitharaman) અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક (GST Council 46th Meeting) સમાપ્ત થઈ ગઈ છે. GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક એ ઈનડાયરેક્ટ ટેક્સ (Indirect tax) છે, જેણે ભારતમાં વિવિધ ટેક્સ જેમ કે, એક્સાઇઝ ડ્યુટી, વેટ, સર્વિસ ટેક્સ વગેરે ઈનડાયરેક્ટ ટેક્સની જગ્યા લીધી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 29 માર્ચ 2017ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. અને તે 1લી જુલાઇ 2017 થી અમલમાં આવ્યો હતો.

બીજા શબ્દોમાં કહીએ તો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માલ અને સેવાઓના પુરવઠા પર લાદવામાં આવે છે. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ એ એક વ્યાપક, ગંતવ્ય-આધારિત કર છે જે દરેક વેલ્યુ-એડેડ એડિશન પર લાદવામાં આવે છે. GST સમગ્ર દેશ માટે ઘરેલું પરોક્ષ કર કાયદો છે. જો કે હાલમાં કેટલીક વસ્તુઓને GSTના દાયરાની બહાર પણ રાખવામાં આવી છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

આ વસ્તુઓ પર નથી લાગતો GST

દારૂ: લોકો દ્વારા દારૂ પીવા પર પણ હાલમાં જીએસટી લાગતો નથી. જોકે, દારૂ પર જીએસટી અમલમાં આવ્યા પહેલા જે ટેક્સ લાગતા હતા તે જ ચાલું રહેશે.

પેટ્રોલ-ડીઝલ: પેટ્રોલિયમ ઉત્પાદનો જેમ કે પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઇ સ્પીડ ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ઇંધણ વગેરેને પણ GSTના દાયરામાં રાખવામાં આવ્યા છે.

વીજળી: વીજળીને હાલમાં GSTના દાયરાથી બહાર રાખવામાં આવી છે. જો કે પહેલાની ટેક્સ જેમ જ ચાલું રહેશે.

આ સિવાય જે વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેમાં તાજી માછલી, શેલમાં ઉપલબ્ધ ચકલીઓના ઈંડા, તાજું દૂધ, તાજું આદુ, લસણ, દ્રાક્ષ, અનરોસ્ટેડ કોફી બીન્સ, અનપ્રોસેસ્ડ ગ્રીન ટી વગેરેનો સમાવેશ થાય છે.

કઠોળ, ફળો અને શાકભાજી પર ઝીરો GST

કેટલીક ચીજવસ્તુઓ અને સેવાઓ પર શૂન્ય દરનો જીએસટી લાગે છે, જેમાં મકાઈ, ચોખા, મકાઈ, સોયાબીન, સીરીયલ ગ્રેન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે કઠોળ, ફળો અને શાકભાજી પર પણ ઝીરો જીએસટી છે. આ સાથે દૂધ, કુદરતી મધ, મીઠું વગેરે પર પણ જીએસટી શૂન્ય છે.

અદાલતો, ટ્રિબ્યુનલ સેવાઓ જેમ કે જિલ્લા અદાલતો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ નિર્ણયો આપવા માટે જીએસટી વસૂલતી નથી. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી સેવાઓની સાથે મૃત વ્યક્તિને લઈ જવા પર જીએસટી લાગતો નથી. કોઈપણ ધર્મ માટે અંતિમ સંસ્કાર સેવાઓ પર કોઈ જીએસટી નથી.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

વિજય દેવરકોંડાની ધમાકેદાર એન્ટ્રી, ‘લાઇગર’ના ટીઝરને રિલીઝ થયાના 9 કલાકની અંદર 12 મિલિયન વ્યૂઝ

 


ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝરમાં વિજય એક ફાઈટરના રોલમાં જોવા મળશે.


વિજય દેવરકોંડાની (Vijay Deverkonda) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાઇગર’નું (Liger) ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ તે ટ્રેન્ડિંગમાં નંબર 1 પર આવી ગયુ છે. આ ફિલ્મની પહેલી ઝલક માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વિજય દેવરકોંડાની ફિલ્મોના લોકો ખૂબ જ દિવાના છે. તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ (Arjun Reddy) સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મની હિન્દી રિમેક શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો નવો રેકોર્ડ સર્જ્યો. વિજય દેવરકોંડા ‘અર્જુન રેડ્ડી’થી લોકો વચ્ચે ફેમસ થયો. આજે તે બોલિવૂડનો પણ ફેવરિટ બની ગયો છે.

તેમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ લાઇગર છે, જેનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સના બેનર હેઠળ થઈ રહ્યું છે. આ ફિલ્મનું તમામ સંગીત તનિષ્ક બાગચી અને મણિ શર્માએ આપ્યું છે. આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝરમાં વિજય એક ફાઈટરના રોલમાં જોવા મળે છે, જે અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળે છે. આ ફિલ્મ બે ભાષામાં પ્રથમ હિન્દી અને બીજી તેલુગુમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ટીઝરને માત્ર 9 કલાકમાં જ 12 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. અને તેને 334K લાઈક્સ મળી છે. આ ફિલ્મના ટીઝરને નાપસંદ કરનાર વ્યક્તિ એક પણ નથી. હવે આના પરથી જ તમે અંદાજ લગાવી શકો છો કે આ ફિલ્મ આ વર્ષની મોટી એક્શન ફિલ્મ બનશે કે નહીં. અથવા તે મોટી બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે કે નહીં.

આ એક મોટા બજેટની ફિલ્મ છે અને નિર્માતાઓ સહિત સામાન્ય લોકોને આ ફિલ્મ પાસેથી ઘણી આશા છે કે તે બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરશે અને સફળતાનો ઝંડો લગાવશે. વિજય દેવરકોંડા આ ફિલ્મમાં પોતાના પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેણે વિશ્વ પ્રસિદ્ધ બોક્સર માઈક ટાયસન સાથે બોક્સિંગ પણ કર્યું છે. તેણે તેના માટેના તેના ઉત્સાહ વિશે પણ જણાવ્યું. જો કે બોલિવૂડમાં બોક્સિંગ પર આધારિત ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ ફિલ્મ તે તમામ બોક્સિંગ ફિલ્મોથી અલગ છે.


વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો



Share:

અનુષ્કા શર્મા 3 મોટા પ્રોજેક્ટ્સ સાથે ફિલ્મોમાં કરશે વાપસી ?



 અભિનેત્રી ત્રણ પ્રોજેક્ટ સાઈન કરવાની છે, જેમાંથી બે થિયેટર પ્રોજેક્ટ હશે. તે એક OTT ઓરિજિનલ ફિલ્મમાં પણ જોવા મળશે, જે ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ માટે શૂટ કરવામાં આવેલી સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે.

અનુષ્કા શર્મા (Anushka Sharma) લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પુત્રીના જન્મ બાદથી એટલે કે તે લગભગ બે વર્ષથી ફિલ્મોથી દૂર છે, પરંતુ હવે તે ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. તેના ચાહકો પણ લાંબા સમયથી તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુષ્કા શર્માની ફિલ્મોમાં વાપસીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનેત્રી ત્રણ પ્રોજેક્ટ સાઈન કરવા તૈયાર છે, જેમાંથી બે થિયેટર પ્રોજેક્ટ હશે. તે એક OTT ઓરિજિનલ ફિલ્મમાં પણ જોવા મળશે, જે ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ માટે શૂટ કરવામાં આવેલી સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે.

માહિતી પ્રમાણે, “2022માં અનુષ્કા શર્માની ફિલ્મોમાં વાપસી ફિલ્મ ઉદ્યોગ માટે શ્રેષ્ઠ બાબત છે. તે ત્રણ મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળે તેવી અપેક્ષા છે. તેમાંથી 2 એન્ટરટેનર ફિલ્મો છે. આ સિવાય તે છે OTT ફિલ્મમાં જોવા મળવાની છે તે ભારતમાં ડિજિટલ સ્પેસ માટે બનેલી સૌથી મોટી ફિલ્મ હશે. આપણે આ ઘોષણાઓ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થવાની અપેક્ષા રાખી શકીએ છીએ અને અનુષ્કાના પ્રશંસકો તેમના મનોરંજન માટે પસંદ કરેલા શ્રેણી અને અવ્યવસ્થિત પ્રોજેક્ટ્સથી ખુશ થશે.”

“હિન્દી સિનેમામાં સૌથી મોટી હિટ ફિલ્મો આપવાનો અનુષ્કાનો શાનદાર ટ્રેક રેકોર્ડ, તેની શાનદાર, બહુમુખી અભિનય કૌશલ્ય, આ પ્રોજેક્ટ્સને પહેલેથી જ એક વિશાળ ચર્ચાનો મુદ્દો બનાવે છે.  અનુષ્કા હંમેશા હિન્દી ફિલ્મ ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત શ્રેષ્ઠ સિનેમાનો ભાગ બનવા માટે ઉત્સુક છે. અને આ નવા વિકલ્પો નવા અને નવા મનોરંજનકારોને પસંદ કરવા માટે તેમના મનને પ્રતિબિંબિત કરશે. તે તેની અભિનય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સિનેમાનો એક ભાગ બનવા માંગે છે જે નોંધપાત્ર રીતે અલગ છે પરંતુ અત્યંત મનોરંજક છે.”

અનુષ્કા શર્મા પાસે ત્રણ ફિલ્મો છે જેણે 300 કરોડનો આંકડો પાર કર્યો છે – સુલતાન, પીકે અને સંજુ. હવે જ્યારે અનુષ્કા શર્માની પુત્રી વામિકા ટૂંક સમયમાં 11 જાન્યુઆરીએ એક વર્ષ મોટી થશે, અભિનેત્રી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

ઓમિક્રોનના સંકટ વચ્ચે સોનુ સૂદે ફરી દેખાડી ઉદારતા, સોશિયલ મીડિયા દ્વારા આપ્યો આ સંદેશ

 


ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારતના લગભગ દરેક રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેને લઈને લોકો ખૂબ જ ચિંતિત છે. ત્યારે અભિનેતાએ સોશિયલ મીડિયા પર સંદેશો આપીને ફરી એક વખત ઉદારતા બતાવી છે.


બોલિવૂડમાં આજે સોનુ સૂદનુ (Sonu Sood) નામ જાણીતું છે. તેણે હીરોથી લઈને ખલનાયક સુધીનું પાત્ર નિભાવીને ચાહકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ છે. સોનુ સૂદે કોરોના મહામારીના સમયે લોકોની ઘણી મદદ કરી હતી. લોકડાઉન થવાના કારણે શ્રમિકોને સ્થળાંતર કરવુ પણ અઘરૂ થઈ ગયુ હતુ. દરેક જગ્યાએ લોકોની ભીડ હતી અને જે કોઈ પણ પોતાની આજીવિકા માટે અન્ય શહેરોમાં રહેતા હતા, તે કોઈપણ ભોગે પોતાના ઘરે પરત ફરવા માંગતો હતા.

ગરીબોના મસિહા તરીકે જાણીતા બન્યા

આ મુશ્કેલ સમયમાં સોનુ સુદે દેવદુત બનીને લોકોની મદદ કરી હતી. સોનુ સૂદે લોકો માટે માત્ર ખાવા-પીવાની વ્યવસ્થા જ નહોતી કરી, પરંતુ તેમના પૈસાથી લઈને વાહનો સુધીની મુસાફરીની પણ વ્યવસ્થા કરી હતી. આ મહામારી બાદ સોનુ સૂદ ગરીબોના મસિહા તરીકે જાણીતા બન્યા હતા.

તમને જણાવી દઈએ કે, અભિનેતા સોનુ સૂદે પોતાના દમ પર મુંબઈ આવીને બોલિવૂડમાં (Bollywood) પોતાનુ સ્થાન હાંસલ કર્યું હતુ અને હવે તે લોકોને મદદ કરવામાં આગળ આવી રહ્યા છે. આજે પણ લોકો સોનુ સૂદનો એ ઉપકાર ભૂલી શકતા નથી. ત્યારે ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના કેસ વધતા હાલ લોકોની ચિંતા વધી છે.

અભિનેતાએ લોકોને આપ્યો આ સંદેશ

કેન્દ્ર સરકાર પણ હાલ વધતા કેસને લઈને ચિંતિત છે અને રાજ્ય સરકારોને  સતર્ક રહેવા અપીલ કરી રહી છે. આ દરમિયાન સોનુ સૂદે ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ફરી એકવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજ શેર કર્યો છે. પોતાની એક તસવીર શેર કરીને સોનુ સૂદે લોકોને એક સંદેશ પણ આપ્યો છે. સોનુ સૂદે લખ્યું છે કે, “કોરોનાના કેસ ગમે તેટલા વધી જાય, ભગવાન ના કરે તમને ક્યારેય તેની જરૂર પડશે, પરંતુ જો આવું થાય, તો યાદ રાખો કે મારો નંબર… હજી પણ એ જ છે. સુરક્ષિત રહો, હંમેશા હું માત્ર એક કોલ દૂર છું.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો



Share:

ભારત આઠમી વખત બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું

 


લંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો.


ભારતની અંડર-19 ટીમે (India Under-19 cricket team) આઠમી વખત એશિયા કપ ( Asia Cup) જીત્યો છે. અંડર-19 એશિયા કપની (Under 19 Asia Cup) ફાઈનલ મેચમાં ભારતે (India) શ્રીલંકાને (Sri Lanka) નવ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં લંકાએ (Sri Lanka) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ (Duckworth Lewis rule) હેઠળ ભારતને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને લંક્ષ્યાંક હાંસલ કરવાની સાથે ટુર્નામેન્ટ પણ જીતી લીધી હતી.

વરસાદના કારણે આ મેચ 38 ઓવરની હતી. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને તેની પ્રથમ વિકેટ ત્રણ રનમાં પડી ગઈ હતી. આ પછી, શ્રીલંકાની વિકેટો સતત અંતરે પડતી રહી અને અંતે આ ટીમ નવ વિકેટના નુકસાન પર 106 રન બનાવી શકી. વરસાદના કારણે આ મેચમાં 12 ઓવર ઘટાડવામાં આવી હતી. જો આવું ન થયું હોત તો લંકા માટે સંપૂર્ણ 50 ઓવર રમવી મુશ્કેલ બની ગઈ હોત.

ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં ભારતના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી અને નાના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો. અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 56 અને વાઇસ કેપ્ટન શેખ રશીદે 31 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં આઉટ થનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન હરનૂર હતો. તેણે પાંચ રન બનાવ્યા હતા. 102 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 21.3 ઓવરમાં 104 રન બનાવી લીધા હતા.

ભારતીય બોલરોનું ઉત્તમ પ્રદર્શન
ફાઈનલ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાની ટીમને 106 રનમાં જ સમેટી દીધી હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે ત્રણ, કૌશલ તાંબેએ બે અને રાજ બાવા, રવિ કુમાર, રાજવર્ધનને એક-એક વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકાના એક બેટ્સમેન રન આઉટ થયો હતો.

શ્રીલંકાની નબળી બેટિંગ
શ્રીલંકાની ટીમ આ મેચમાં ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળી શકી ન હતી અને 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યા નહોતા અને છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી રોડ્રિગે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પ્રથમ વિકેટ માત્ર ત્રણ રનના સ્કોર પર પડી હતી.

ભારતના રવિ કુમારે શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો હતો. ચામિન્દુ વિક્રમસિંઘે બે રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રાજ બાવાએ 15ના સ્કોર પર શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો. તેણે ચેવન ડેનિયલ્સને આરાધ્યા યાદવના હાથે કેચ કરાવ્યો. ડેનિયલ માત્ર છ રન બનાવી શક્યો હતો. આ પછી કૌશલ તાંબેએ અંજલા બંદરાને એલબીડબ્લ્યુ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. તે નવ રન બનાવી શક્યો હતો.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

GETCO ગેટકો વિદ્યુત સહાયક પરીક્ષાનું સમયપત્રક અને એડમિટ કાર્ડ 2021-22



 ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) એ વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર – ઇલેક્ટ્રિકલ / સિવિલ) 2021 ની પોસ્ટ માટે પરીક્ષાનું સમયપત્રક અને એડમિટ કાર્ડ પ્રકાશિત કર્યું છે, વધુ વિગતો માટે નીચે તપાસો.

ગેટકો વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર - ઇલેક્ટ્રિકલ / સિવિલ) પરીક્ષાનું સમયપત્રક અને એડમિટ કાર્ડ 2021

વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ/સિવિલ) માટેની ઓનલાઈન પરીક્ષા 04.01.2022 થી 07.01.2022 દરમિયાન લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની ઓનલાઈન લિંક 23/24.12.2021ના રોજ ઉપલબ્ધ થશે. ઓનલાઈન પરીક્ષાનો સમયગાળો સત્ર/બેચ દીઠ 120 મિનિટ (2-કલાક)નો રહેશે.
 

જાહેરાત જુઓ

એપ્લિકેશન પોર્ટલ (સ્થિતિ જોવા અને ફોર્મ/રસીદ/એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા)

પ્રેક્ટિસ ટેસ્ટ

 ઓનલાઈન પરીક્ષા માટેની સૂચનાઓ (નવી)

પ્રવેશ કાર્ડ ઉમેદવારોના ડેશબોર્ડ પર લાઇવ છે

વિદ્યુત સહાયક જુનિયર ઈજનેર (ઈલેક્ટ્રિકલ/સિવિલ) ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી પોર્ટલ 08.07.2021 ના ​​રોજ સવારે 00:00 કલાકથી 09.15 વાગ્યા સુધી ડાઉન હતું. તેથી, ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલનો સમય 09.07.2021, સવારે 9.15 સુધી લંબાવવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

Ads