Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday 31 December 2021

સૌરવ ગાંગુલી ને હોસ્પિટલ અપાઇ રજા, કોરોના સંક્રમિત થતા કોલકાતામાં એડમીટ કરાયા હતા

 


BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને વુડલેન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly ) ને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ તેઓ કોરોનાથી સંપૂર્ણ સાજા થયા નથી. પરંતુ હવે તેની સારવાર ઘરે જ થશે. ભારતના પૂર્વ કેપ્ટનમાં હવે કોરોનાના હળવા લક્ષણો છે. આ જ કારણ છે કે હોસ્પિટલે તેમને રજા આપવાનો નિર્ણય કર્યો.

BCCI પ્રમુખના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર 3 દિવસ પહેલા આવ્યા હતા, ત્યારબાદ તેમને વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં 2 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ વર્ષે બીજી વખત ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2021માં તેમને હાર્ટ એટેકની સમસ્યાને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

તબીબોની નજર સતત ગાંગુલીની તબિયત પર હતી

વુડલેન્ડ હોસ્પિટલના ડોક્ટરોએ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી. અહીં ચાહકો પણ તે જલ્દી સ્વસ્થ થાય અને ઘરે પરત ફરે તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ડૉક્ટરની મહેનત અને ચાહકોની પ્રાર્થનાએ રંગ દેખાડ્યો હતો અને ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જો કે, જ્યાં સુધી તેનો કોરોના સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે ઘરે જ રહેશે. જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને કોરોના વેક્સીનના બંને ડોઝ મળ્યા હતા. આ પછી તેને કોરોના થયો.

કોરોના પહેલા ‘વિરાટ’ વિવાદ ને લઈને ચર્ચા રહ્યા ‘દાદા’

સૌરવ ગાંગુલી કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે લાઈમલાઈટમાં રહ્યા તે પહેલા વિરાટ કોહલી સાથેના મતભેદોને લઈને પણ ચર્ચાઓમાં આવ્યા હતા. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા, BCCIએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ODIનો કેપ્ટન બનાવ્યો હતો. બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતું કે કોહલી સાથે વાત કર્યા બાદ જ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો છે.

પરંતુ ત્યારબાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તે સાવ અલગ હતું. તેણે કહ્યું કે તેને આ અંગેની જાણ કેપ્ટનશિપ છીનવાઈ જવાના દોઢ કલાક પહેલા થઈ હતી. વિરાટના આ નિવેદનનો જવાબ આપતા ગાંગુલીએ કહ્યું હતું કે તે આ મુદ્દે અત્યારે કંઈ નહીં બોલે, હવે બોર્ડ જે પણ કરશે.

* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો


Share:

0 Comments:

Post a Comment

Ads