Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday 31 December 2021

કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ

 


ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે.


કોરોનાની બીજી લહેર બાદ દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ (Corona Case) વધવા લાગ્યા છે. જેને કારણે કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ (Night curfew) પણ લાદવામાં આવ્યો છે. તેની અસર સિનેમાઘરો પર પણ પડી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સિનેમાઘરો બંધ કરવાની જાહેરાત કરી છે. જે બાદ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Film Industry)  હલચલ મચી ગઈ છે.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને (Delhi Government) કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે. કરણ જોહરે ટ્વિટ કરીને દિલ્હી સરકારને સિનેમા હોલ ખોલવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમે દિલ્હી સરકારને અપીલ કરીએ છીએ કે સિનેમા હોલ ખોલવામાં આવે. સિનેમા હોલની બહાર કોરોના પ્રોટોકોલ જાળવવા માટે વધુ સારી વ્યવસ્થા છે. તેણે આ ટ્વીટમાં દિલ્હી સરકાર અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Kejriwal) ટેગ કર્યા છે
.

શાહિદ કપૂરની આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદીને સિનેમાઘરોમાં 50% દર્શક ક્ષમતાનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ દિલ્હી સરકારે સિનેમાઘરોને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ જર્સીની (Jersey Movie) રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાંથી બોલિવૂડની ફિલ્મો તગડી કમાણી કરે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મેકર્સને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.જેથી હાલ ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી છે.

વરુણ અને કૃતિએ પણ થિયેટર એસોસિએશનને ટેકો આપ્યો

તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારના આ નિર્ણય બાદ થિયેટર એસોસિએશનના(Theatre Association)  લોકો મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉપરાંત  બોલિવૂડના ઘણા કલાકારો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક દિવસ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની દિલ્હી સરકારને આ નવા નિયમ પર પુનર્વિચાર કરવા અને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ મંજૂરી આપવાની અપીલને સમર્થન આપ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે સંતુલન સાધે છે કે કેમ..?



* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads